રાજકોટ
News of Tuesday, 21st May 2019

ધો-૧૦માં યુકતા ભુતને ૯૬.૬૪ પી.આર.: મારૂ કંસારા જ્ઞાતિનું ગૌરવ

રાજકોટઃ ગુજરાત માધ્યમીક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલ ધો-૧૦ની પરીક્ષામાં સરસ્વતી વિદ્યામંદિર (મારૂતિનગર) ની વિધાર્થીની તેમજ આવિષ્કાર કલબના ચેરમેન કિશોરભાઇ ભુતની પુત્રી યુકતા ભુતે ૯૬.૬૪ પી.આર. મેળવી ઝળહળતી સફળતા પ્રાપ્ત કરી સમગ્ર મારૂ કંસાય જ્ઞાતિ તેમજ ભુત પરીવારનું ગૌરવ વધારેલ છે. યુકતાને મેડીકલ લાઇનમાં આગળ અભ્યાસ કરવાનો ધ્યેય સાથે સાયન્સમાં આગળ વધવાને નિર્ધાર છે. (મો.૯૪૨૬૪ ૮૨૦૮૩)

(3:09 pm IST)