એલન કરિયર દ્વારા ઓરિયેન્ટેશન યોજાયું
એલન કરિયર ઈન્સ્ટીટ્યુટ રાજકોટ દ્વારા પરંપરાગત રીતે તેમના 'ઓરિએન્ટેશન સેશન'નું આયોજન ધો. છથી ૧૦ના વિદ્યાર્થીઓ માટે એક મંચ પર ૧૯ મેનાં રોજ કરવામાં આવ્યું હતું. આ આયોજન પ્રમુખ સ્વામી ઓડિટોરિયમ રાજકોટ ખાતે કરાયું હતું. આ સેશનમાં એલનના વાઈસ પ્રેસિડન્ટ તુષાર પારેખે તેમના વકતવ્યમાં યુવાન વિદ્યાર્થીઓને તેમના ભાવિ લક્ષ્યોની પ્રાપ્તિ માટે પ્રેરણા આપી હતી. આ ઊર્જાવાન સેશનનું સંચાલન રાજકોટ સેન્ટરના હેડ રજનીશ શ્રીવાસ્તવે કર્યુ હતું. જેમાં એન્જિનિયરીંગ અને મેડિકલની સ્પર્ધાત્મક પરીક્ષામાં બેસનારા વિદ્યાર્થીઓને સંબોધ્યા હતા અને તેમને હાલના સ્પર્ધાત્મક સ્તરની જાણકારી આપી હતી. આઉપરાંત વર્ષ ૨૦૧૯-૨૦ના શૈક્ષણિક વર્ષના અભ્યાસક્રમ અંગે તથા અનોખી એલન સિસ્ટમની જાણકારી પીએનસીએફ કોઓર્ડિનેટર પૂજા પાંડેએ આપી હતી.