News of Monday, 21st May 2018
જગદીશભાઇ અકબરી પરિવારના દ્વારે હંસદેવગીરીબાપુની પધરામણી
રાજકોટ, તા., ૨૧: ક્રાંતિ માનવ સેવા ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રી જગદીશભાઇ ધીરૂભાઇ અકબરીના આંગણે કુવાડવા રોડ, ૮૦ ફુટના રોડ ખાતે ગયા શનિવારે શિવાશ્રમ નવાગામ, (કાલાવડ વાળા) સંત જાણીતા શિવ કથાકાર શ્રી હંસદેવગીરી બાપુએ પધરામણી કરેલ. પરિવાર વતી ધીરૂભાઇ ચનભાઇ અકબરી અને લાભુબેન તથા જગદીશભાઇ અને શ્રીમતી તૃપ્તીબેન તેમજ ચિ.તિર્થ, ચિ. ધ્રુવી વગેરેએ તેમનું સ્વાગત કરેલ. બાપુએ અકબરી પરિવારની સેવા ભાવનાને બિરદાવી આશીર્વાદ આપ્યા હતા.
(4:25 pm IST)