રાજકોટ
News of Monday, 21st May 2018

કર્ણાટકમાં લોકશાહી બચાવવામાં કોગ્રેસ સફળ : દિનેશ ચોવટિયા

રાજકોટ તા ૨૧ : કર્ણાટકમાં અલ્પજીવી સાબિત થઇ ગયેલી ભાજપની સરકારનું પતન થતા કર્ણાટકની પ્રજાના ચુકાદાનો વિજય થયો છે તેમ જણાંવતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના અગ્રણી ડો. દિનેશ ચોવટીયાએ કહયુ છે કે, સામ-દામ-દડ-ભેદથીં સરસકાર રચવાના ભાજપના પ્રયાસો નિષ્ફળ ગયા છે અને કર્ણાટકની જનતાએ ભાજપની માનસિકતાને પાઠ ભણાવ્યો છે.

તેમણે કહયું છે કે, કોંગ્રેસના ધારાસભ્યોએ લોકશાહી બચાવવા માટે પુરતા પ્રયાસો કર્યા હતા. અને તેમાં સફળ પણ થયા છે. ભાજપી નેતાઓએ ભષ્ટાચારમાંથી કમાયેલા રૂપિયાની લાલચ આપી ધારાસભ્યોને ખરીદવાનો પ્રયાસ કર્યો હતો પણ કોંગ્રેસ કે જે.ડી..એસના એક પણ ધારાસભ્યએ આવી મેલી રમત પર ધ્યાન આપ્યું ન હતું અને તેનું પરિણામ સોૈની સામે છે.

આશ્ચર્યની બાબત એ હતી કે યેદિયુરપ્પાની શપથવિધીમાં વડા પ્રધાન મોદી કે અમિતશાહ હાજર રહ્યા ન હતા. કદાચ તેમને અંદાજ આવી ગયો હતો કે આ સરકાર વિશ્વાસનો મત નહીં મેળવી શકે.

તેમણે અંતમાં જણાવ્યુ છે કે, આવનારા સમયમાં રાજસ્થાન,મધ્યપ્રદેશ અને બંગાળની ચૂંટણી આવી રહી છે ત્યારે કોંગ્રેસ આ રાજયોમાં પણ સુંદર દેખાવ કરશે અને ેજીતી બતાવશે.

(3:53 pm IST)