News of Wednesday, 21st April 2021
SGVP ગુરૂકુલમાં ઉજવાયેલ રામ જન્મોત્સવ ભગવાન શ્રી રામ શ્યામ અને ઘનશ્યામ મહારાજને સુવર્ણ જડિત અવધ વાઘા ધરાવી પૂજન
અમદાવાદ : કોરોના મહામારીને કારણે ફરત સ્થાનિક સંતો અને શા.માધવપ્રિયદાસજી સ્વામીની ઉપસ્થિતીમાં, ભગવાન શ્રીરામ અને ભગવાન શ્રી સ્વામીનારાયણના જન્મદિન નિમિતે SGVP શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલમાં બિરાજીત શ્રીરામ, શ્યામ અને ઘનશ્યામ મહારાજને અવધ સુવર્ણ જડિત નવ રંગી વાઘા ધરાવી, બપોરે ૧૨ કલાકે પંચોપચાર પૂજન કરી શા. માધવપ્રિયદાસજીએ આરતી ઉતારી દર્શન ખુલ્લા મૂકયા હતા.
(3:29 pm IST)