રાજકોટ
News of Wednesday, 21st April 2021

પૂ. રણછોડદાસજી બાપુ આશ્રમે રામનવમીનું પૂજન

રાજકોટ : સદ્દગુરૂ સદન ટ્રસ્ટ સંચાલિત પૂ. રણછોડદાસજી બાપુ આશ્રમ ખાતે આજે પવિત્ર રામનવમી નિમિતે વિશેષ પૂજા અર્ચના કરવામાં આવ્યા હતા. આરતી પૂજા કરી ભગવાન શ્રીરામલલ્લાના જન્મના વધામણા કરવામાં આવ્યા હતા. વર્તમાન પરિસ્થિતિ ધ્યાને લઇ માત્ર બે સંત ભગવાન દ્વારા રામનવમી નિમિતે શ્રી અખંડ રામાયણજી પાઠ કરવામાં આવ્યા હતા.

(3:18 pm IST)