રાજકોટ
News of Sunday, 21st April 2019

જામનગર રોડ પર ભુતનાથ મંદિર પાછળ રહેતી ર૮ દિવસની બાળકીનું મોત

રાજકોટઃ જામનગર રોડ પર ભુતનાથ મંદિર પાછળ ગુંદરભાઇના મકાનમા રહેતા રાહુલભાઇની ર૮ દિવસની બાળકીને મોડી રાત્રે અચાનક બેભાન થઇ જતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. જયાં તેનું સારવાર દરમ્યાન મોત નિપજયુ હતુ. આ અંગે પ્રનગર પોલીસ મથકના એએસઆઇ તૃષાબેન બુહાએ તપાસ હાથ ધરી છે.

(1:18 pm IST)