રાજકોટ
News of Thursday, 21st March 2019

પુનીતનગરમાં બીમારીના કારણે બેભાન થઇ જતા હરદેવસિંહનું મોત

રાજકોટ : કોઠારિયા ગામ પાસે શ્રી હરી સોસાયટીમાં રહેતા ગરાસિયા યુવાનનું પુનીતનગર વાવડી વિસ્તારમાં બીમારીના કારણે મોત નિપજયું હતું.

મળતી વિગત મુજબ કોઠારીયા ગામ પાસે શ્રી હરિ સોસાયાટીમાં રહેતા હરદેવસિંહ દોલુભા પરમાર (ઉ.વ.૩ર) પુનીતનગર વાવડી વિસ્તારમાં ડી.એચ. જે. કારખાના પાસે બેભાન હાલતમાં પડ્યા હોવાની કોઇએસ જાણ કરતા ૧૦૮ના ઇએમટી ક્રિષ્નાબેેને તપાસ કરતા તેનું મૃત્યુ નિપજયું હોવાનું જણાતા પોલીસને જાણ કરવામાં આવી હતી. આ અંગે તાલુકા પોલીસ મથકના હેડકોન્સ. અરવિંદભાઇએ તપાસ હાથ ધરી હતી. મૃતક હરદેવસિંહ બેભાઇમાં નાના હતા. તે અપરણીત હતા. તેને કમળાની બીમારી હતી તે ગઇકાલે ઘરેથી કોઇને કહ્યા વગર નિકળી ગયા હતા.

(12:58 pm IST)