યુવાનની હત્યાના પ્રયાસના ગુનામાં ૫ વર્ષથી ફરાર વીકી સોલંકી પકડાયો
રાજકોટ, તા. ૨૧ :. શહેરના ચુનારાવાડ ચોક પાસે યુવાનની હત્યાની કોશિષના ગુનામાં પાંચ વર્ષથી ફરાર શખ્સને ક્રાઈમ બ્રાંચની ટીમે પકડી લીધો હતો.
મળતી વિગત મુજબ શહેર પોલીસ કમિશનર શ્રી મનોજ અગ્રવાલ, જોઈન્ટ પોલીસ કમિશનર શ્રી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, મનોહરસિંહ જાડેજા, એસીપી ડી.વી. બસીયાએ મિલ્કત સંબંધી ગુનાઓ અટકાવવા તથા નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા માટે સૂચના આપતા ક્રાઈમ બ્રાંચના પીઆઈ વી.કે. ગઢવીના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ વી.જે. જાડેજા, એએસઆઈ જયેશભાઈ નિમાવત, ચેતનસિંહ ચુડાસમા, રાજદીપસિંહ, હિતેન્દ્રસિંહ, મહેન્દ્રસિંહ, ભરતસિંહ, સ્નેહભાઈ સહિત પેટ્રોલીંગમાં હતા ત્યારે ભરતસિંહ પરમાર, મહેન્દ્રસિંહ જાડેજા તથા જયેશભાઈ નિમાવતને મળેલી બાતમીના આધારે વીકી અશોકભાઈ સોલંકી (ઉ.વ. ૨૫) (રહે. ચુનારાવાડ શેરી નં. ૫)ને ચુનારાવાડ ચોક પાસેથી પકડી લીધો હતો. વીકી સોલંકી ચુનારાવાડ ચોક નજીક યુવાનની હત્યાની કોશિષના ગુનામાં પાંચ વર્ષથી ફરાર હતો.