રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની ૧૨૫મી જન્મ જયંતિ વર્ષની રાજ્ય કક્ષાની ઉજવણી કરાશેઃ વિજયભાઈ રૂપાણી આજે જાહેરાત કરે તેવી શકયતા
રાજકોટ, તા. ૨૧ :. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી આજે રાજકોટના મહેમાન બન્યા છે. તેઓના હસ્તે રાજકોટમાં અનેકવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત થઈ રહ્યુ છે ત્યારે આજે શ્રી વિજયભાઈ રૂપાણી રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની ૧૨૫મી જન્મ જયંતિ વર્ષની રાજ્યકક્ષાની ભવ્ય ઉજવણી કરવાની જાહેરાત કરે તેવી શકયતા છે.
મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીને ઝવેરચંદ મેઘાણીના પૌત્ર પિનાકીભાઈ મેઘાણીએ ઝવેરચંદ મેઘાણીનું સાહિત્ય જન-જન સુધી પહોંચે અને લોકો પણ ઝવેરચંદ મેઘાણીનું સાહિત્ય વાંચીને તેના વિચારો જીવનમાં ઉતારે તે માટે રજૂઆત કરી હતી. જેના પ્રત્યુત્તર રૂપે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ એક કમિટી બનાવવાની વિચારણા કરી હોવાનું પણ જાણવા મળ્યુ છે. જેમાં અધ્યક્ષ પદે ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની વરણી કરાઈ છે. આ ઉપરાંત સાહિત્ય ક્ષેત્રે કાર્યરત સાહિત્યકારોની વરણી કરાઈ છે.