રાજકોટ
News of Wednesday, 7th April 2021

વાંકાનેરના વીરપરમાં શારદાબેન દેકાવાડીયા પર ધોકાથી હુમલો

મહિલાના દિકરાએ પોલીસની ગાડી બોલાવ્યાની શંકા કરી માથાકુટ કરવામાં આવીઃ મહિલાએ રાજકોટમાં સારવાર લીધી

રાજકોટ તા. ૭: વાંકાનેરના વીરપર ગામે રહેતાં શારદાબેન વાલજીભાઇ દેકાવાડીયા (ઉ.વ.૪૫)ને રાતે અગિયારેક વાગ્યે ઘરે હતાં ત્યારે ગામના જ જગદીશ, વેલજી અને દિપકે આવી ઝઘડો કરી ધોકાથી માર મારતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં હોસ્પિટલ ચોકીના વાલજીભાઇ નિનામાએ વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરી હતી.

શારદાબેનના પુત્ર ભાણજીભાઇના કહેવા મુજબ ગામમાં કોઇએ પોલીસની ગાડી બોલાવી હતી. આ ગાડી મેં બોલાવી છે એવી શંકા કરી જગદીશ સહિતના મને ઘરે બોલાવવા આવ્યા હતાં અને મારી સાથે ઝઘડો ગાળાગાળી શરૂ કહી હતી. મારા બા શારદાબેન વચ્ચે પડી સમજાવવા આવતાં તેના પર હુમલો કરી દેવાયો હતો.

(12:45 pm IST)