કોંગ્રેસ પરિવાર હંમેશ માટે લોકસેવામાં પ્રતિબદ્ધ રહેશે
આગેવાનો, કાર્યકરો, મતદારોનો આભાર માનતા અશોકભાઇ અને પ્રદીપભાઇ
રાજકોટ : સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીમાં કોંગ્રેસ પક્ષના ઉમેદવારોનેે જીતાડવા રાજકોટ શહેર કોંગ્રેસના તમામ આગેવાનો અને કાર્યકરોએ જે ખંત અને નિષ્ઠાપૂર્વક કામ કર્યું એ બદલ રાજકોટ શહેર કોંગ્રેસ પરિવારના તમામ આગેવાનો અને કાર્યકરોનો આભાર માનીએ છીએ અને ભવિષ્યમાં પણ કોંગ્રેસને મજબુત કરવા માટે સહયોગની આશા રાખીએ છીએ તેમ અશોકભાઇ ડાંગર અને પ્રદીપભાઇ ત્રિવેદીની યાદીમાં જણાવાયું છે.
જેમાં વધુમાં જણાવ્યા મુજબ રાજકોટની જનતાએ આ ચુંટણી દરમ્યાન અમોને જે હુંફ લાગણી, ઉષ્માથી વધાવ્યા છે તે માટે અમો કાયમ ઋણી રહીશું, અને જે પરિણામ આવે તે અમો તમારા વિશ્વાસને સાર્થપ કરવા અંતૅંકરણ પૂર્વક હમેશા પ્રયત્નશીલ રહીશું સમગ્ર કોંગ્રેસ પરિવાર કાયમ માટે લોક સેવામાં પ્રતિબદ્ધ રહેશે તેવી ખાતરી આપીએ છીએ તેમ શહેર કોંગ્રેસ પ્રમુખ અશોકભાઈ ડાંગર અને કાર્યકારી પ્રમુખ પ્રદીપભાઈ ત્રિવેદીની સંયુકત અખબારી યાદીના અંતમાં જણાવ્યું છે.