૧૩૨ કરોડ રામનામ જાપ મહાસંકલ્પ થયા હોમાત્મક યજ્ઞ
રણછોડદાસજીબાપુ આશ્રમે પતિત પાવન ભગવાનની જન્મજયંતિની ઉજવણી
રાજકોટઃ પ.પૂ.શ્રી સદ્દગુરૂદેવ ભગવાનશ્રી રણછોડદાસજીબાપુશ્રીનાં ગુરૂદેવ શ્રી પતિત પાવન ભગવાનશ્રીની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં શ્રી પતિત પાવન ભગવાનશ્રીનું ષોડષોપચાર પુજન કરવામાં તથા પ.પૂ.શ્રી સદ્દગુરૂદેવ ભગવાનશ્રીનું રામરક્ષાસ્ત્રોત્ર, સ્વાધ્યાય સાથે પુજન કરવામાં આવેલ હતું. તેમજ વિશ્વશાંતિ, વિશ્રવ કલ્યાઅર્થે તથા કોરોના મહામારીમાંથી મુકિત મળે એ શુભ હેતુથી ૧૦૮ કરોડ રામ રામ જપમહાયજ્ઞનું આયોજન કરવામાં આવેલ. જેમાં સર્વ ધર્મપ્રેમીભાઈ- બહેનો દ્વારા ૧૩૨ કરોડ, ૫ લાખ ૩ હજાર અડતાલીસ જાપ કરવામાં આવ્યા હતા. જે રામનામ જાપ હોમાત્મક યજ્ઞ પ.પૂ.શ્રી સદ્દગુરૂદેવ ભગવાનશ્રી રણછોડદાસજીબાપુશ્રીને અર્પણ કરવામાં આવેલ હતા. સર્વ ધર્મપ્રેમીભાઈ- બહેનોને આખો દિવસ દુધની પ્રસાદીનું વિતરણ કરવામાં આવેલ હતું. આ પ્રસંગે પ.પૂ.શ્રી મહામંડલેશ્વરશ્રી હરિચરણદાસજીબાપુશ્રી ઉપસ્થિત રહીને યજ્ઞની પૂર્ણાહુતિ કરવામાં આવેલ હતી, ધર્મપ્રેમીભાઈ- બહેનોએ યજ્ઞ તથા દુધની પ્રસાદીનો લાભ લીધો હતો.