રાજકોટ
News of Monday, 22nd February 2021

'આપ'ના કાર્યકરો ઉપર હુમલો

મુકત અને તટસ્થ રીતે ચૂંટણી યોજાઈ રહી નથીઃ રાજભાનો વલોપાત

રાજકોટઃ શહેરમાં ગઈકાલે મતદાન ચાલુ હતું. ત્યારે ''આપ''ના ઉમેદવાર રાજભા ઝાલાએ જણાવ્યું હતું કે મુકત અને તટસ્થ રીતે ચૂંટણી યોજાઈ રહી નથી. ભાજપ પોતાની સત્તાનો બેફામ ઉપયોગ કરી રહ્યો છે. શહેરના ભોમેશ્વરવાડી મતદાન મથક પાછળનો ગેટ ખૂલી શેક છે. 'આપ'ની રજુઆત છતાં ખોલવામાં આવ્યો નથી. મતદારોને બે કિ.મી. ફરીને મતદાન મથકે જવું પડે છે. આ ઉપરાંત લક્ષ્મીનગરમાં 'આપ'ના કાર્યકરો ઉપર ભાજપના કાર્યકરોએ હુમલો કર્યાનો રાજભાએ આક્ષેપ કર્યો છે.

(11:54 am IST)