લગ્નની લાલચ આપી દુષ્કર્મના ગુનામાં આરોપીના જામીન મંજૂર
રાજકોટ,તા.૨૯: લગ્નની લાલચ આપી અવારનવાર બળાત્કાર કરવાના ગુનામાં પકડાયેલા આરોપી જામીન ઉપર મુકત કરવા સેશન્સ કોર્ટે હુકમ કર્યો હતો.
રાજકોટ શહેરના 'ગાંધીગ્રામ -૨ (યુની) પો.સ્ટે'ના આઇ.પીે.સી. કલમ ૩૭૬, ૪૦૬ મુજબની ફરીયાદીએ આરોપી ભરત ઉર્ફે ચીનું ગંગાજી ફરીયાદ નોંધાવેલી.
આ ફરીયાદની અનુસંધાને તપાસનીસ અધિકારીએ આરોપીને ધરપકડ કરી કોર્ટમાં રજુ કરતા, જેલ હવાલે રહેલ આરોપીએ પોતાને જામીન ઉપર મુકત થવા માટે નામદાર ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ કોર્ટમાં જામીન અરજી ગુજારતા, બચાવ પક્ષના વકીલોની રજુઆતોને ધ્યાને લઇને જોઇન્ટ ડીસ્ટ્રીકટ જજ વોરાએ આરોપીને શરતી જામીન ઉપર છોડવાનો હુકમ કરેલ છે.
આ કામમાં અરજદાર/આરોપીના બચાવ પક્ષે રાજકોટના યુવાન ધારાશાસ્ત્રીશ્રી ચીમનભાઇ ડી. સાંકળીયા, સી.એચ. પાટડીયા, ઉષા ઝાલા, મનીષાબેન પોપટ, જી.એમ.વોરા, પ્રકાશ એ.કેશુર, વિજયભાઇ સોંદરવા,જયેશભાઇ જે.યાદવ, અહેશાન એ.કલાડીયા વગેરે રોકાયેલા હતા. અને આ કામમાં આ કલાર્ક લલીતભાઇ ચુનીલાલ બારોટએ સહકાર આપેલ છે.