News of Wednesday, 25th March 2020
રણુજા વેલનાથપરામાં પથરીની બીમારીથી કંટાળી પુનમ વાજાનો સળગી આપઘાતનો પ્રયાસ
રાજકોટ, તા. રપ : કોઠારીયા રોડ પર રણુજા મંદિર પાસે વેલનાથપરા મફતીયાપરમાં પથરીના દુઃખાવાથી કંટાળી કોળી યુવતીએ સળગી આપઘાતનો પ્રયાસ કરતા સારવાર માટે ખસેડાઇ છે.
મળતી વિગત મુજબ વેલનાથપરામાં રહેતી પુનમ વાલજીભાઇ વાજા (ઉ.વ.૧૮) એ પોતાના ઘરે કેરોસીન છાંટી સળગી જતા તેને સારવાર માટે સીવીલ હોસ્પિટલમાં ખસેડાઇ છે. પુનમ બેભાઇ એકબહેનમાં વચેટ છે તેને પથરીનો દુઃખાવો થતો હોઇ તેથી કંટાળી જઇ તેણીએ આ પગલું ભર્યુ હોવાનું જાણવા મળ્યું છે. આ અંગે આજીડેમ પોલીસે તપાસ આદરી છે.
(3:26 pm IST)