જનતા કર્ફયુ સમયે મારૂતી કુરીયરની ઉમદા સેવા
રાજકોટ : કોરોના સંદર્ભે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી અને રાજયના મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ જનતા કર્ફયુનો અનુરોધ કરતા રાજકોટની જનતાએ સારો પ્રતિસાદ આપયો હતો. આ દરમિયાન ચા-પાણી-નાસ્તાની દુકાનો પણ જડબેસલાક બંધ હતી. આવી સ્થિતીમાં જીવના જોખમે ફરજ બજાવતા પોલીસ અને મીડીયા કર્મચારીઓ તેમજ ડોકટર અને નસીંગ સ્ટાફને ચા-પાણી અને નાસ્તો પહોંચાડવાની અનન્ય સેવા મારૂતિ કુરીયરના સ્ટાફે દીલ દઇને કરી હતી. મારૂતિ કુરીયરના શ્રી રામભાઇ મોકરીયાના નિર્દેશ મુજબ મોહનભાઇ મોકરીયા અને સ્ટાફગણે રતાભાઇ ચા વાળાને સાથે લઇ પોલીસ કમિશ્નર કચેરી, માધાપર ચોકડી, મવડી ચોકડી, યાજ્ઞીક રોડ, કાલાવડ રોડ, સરકીટ હાઉસ, કે. કે. વી. ચોક સહીતના વિસ્તારોમાં આ સેવા પુરી પાડી હતી. જે તસ્વીરમાં નજરે પડે છે.