News of Wednesday, 25th March 2020
મ્યુનિ,.કોર્પોરેશનના સ્ટાફ-સરકારી કર્મચારીઓ માટે બસ સેવા શરૂ નહિ થાય: સતાવાર જાહેરાત
રાજકોટ: મહાનગરપાલિકા દ્વારા કોરોનાની સ્થિતિમાં આવશ્યક સેવાઓ સાથે સંકળાયેલ શહેરની અન્ય સરકારી કચેરીઓ પાસેથી તેમના સ્ટાફમાં બસની જરૂરત અંગે માંગણી મંગાવી હતી. જોકે મનપાના સ્ટાફ કે અન્ય સરકારી કચેરીઓમાંથી બસની માંગણી ન આવતા હાલ બસ સુવિધા શરૂ કરવામાં આવનાર નથી. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સતાવાર જાહેરાત કરવામાં આવી છે.
(12:51 am IST)