રાજકોટ
News of Wednesday, 25th March 2020

રાત્રે રાજકોટમાં કરિયાણા -મેડિકલ સ્ટોરમાં લોકોની લાઈનો લાગી : દેશભરમાં લોકડાઉનની જાહેરાત બાદ લોકો ખરીદી કરવા ઉમટ્યા

 

રાજકોટ : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આજે રાત્રે 8 વાગ્યે રાષ્ટ્રજોગ પ્રવચનમાં આજ મધરાતથી દેશભરમાં 21 દિવસ માટે લોકડાઉન જાહેર કરતા રાત્રે રાજકોટમાં કરિયાણાની દુકાનોમાં જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ લેવા અને મેડિકલ સ્ટોરમાં દવા લેવા લોકોની લાઈનો લાગી છે,દેશવ્યાપી 21 દિવસના લોકડાઉન માટે લોકો તૈયાર રહેવા કે કોઈ વસ્તુ નહીં મળે તો તેવી ભીતિને કારણે લોકો ખરીદી માટે ઉમટી રહ્યાં છે બીજીતરફ શહેરના રસ્તાઓ સુમસામ ભાસી રહ્યાં છે સમગ્ર શહેરમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે.

(9:57 pm IST)