News of Monday, 2nd December 2019
અકસ્માત મૃત્યુના કેસમાં મૃતકના વારસોને એક કરોડનું વળતર ચુકવવા ટ્રીબ્યુનલનો હુકમ
રાજકોટ તા.૨: રાજકોટના રહેતા ગુજરનાર દીનેશભાઇ ધોડાસરા તથા તેમના પત્નિ મધુબેન ધોડાસરા સને ૨૦૧૪માં અમદાવાદથી મોરબી કારમાં જઇ રહ્યા હતા. ત્યારે વીરમગામ પાસે સદરહુ કાર પલ્ટી ખાઇ જતા અકસ્માતામાં તેઓનુ મોત થવા પામેલ હતુ જે થતા તેઓના વારસદારો એ રાજકોટના ટ્રીબ્યુનલમા વળતર અરજી દાખલ કરેલ હતી. જે વળતર અરજી ટ્રીબ્યુનલ દ્વારા ચાલી જતા કોર્ટ દ્વારા રૂ.૧,૦૫,૫૬,૯૩૬ જંગી વળતર વ્યાજ સહીત ચુકવવા વીમા કંપનીને આદેશ કર્યા છે.
આ કેસમાં ગોપાલ બી.ત્રિવેદી. રવીન્દ્રસીહ પી.જાડેજા, વનરાજસિંહ આર માંકડ તથા આણંદના દુર્ગાબેન એ.ત્રિવેદી એડવોકેટ તરીકે રોકાયા હતા.
(3:42 pm IST)