News of Monday, 2nd December 2019
રઝવી માનવ કલ્યાણ ટ્રસ્ટ દ્વારા અનાજ કીટનું વિતરણ :હેલ્મેટ વિરોધી અભિયાન ચલાવતા અશોકભાઇ પટેલ અને પ્રવિણભાઇ લાખાણીનું પણ સન્માન
ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને રાહતદરે અનાજ કીટનું વિતરણ કરતા રઝવી માનવ કલ્યાણ એજયુ. એન્ડ ચેરી. ટ્રસ્ટ દ્વારા ભગવતીપરા, બજરંગવાડી, રામનાથપરા, દુધની ડેરી હાઉસીંગ બોર્ડ, દુધની ડેરી હૈદરી ચોક સહીતના વિસ્તારોમાં અનાજ કીટનું વિતરણ કરાયુ હતુ. દરમિયાન આ તકે હેલ્મેટ વિરોધી અભિયાન ચલાવતા અશોકભાઇ પટેલ અને પ્રવિણભાઇ લાખાણી સહીતનાઓનું પણ સન્માન કરાયુ હતુ. તે સમયની તસ્વીર નજરે પડે છે.
(3:34 pm IST)