કાલે રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિનું સ્નેહમિલન-સન્માન - લોકસાહિત્ય રસ પિરસાશે
શિક્ષણવિદ્ ગીજુભાઇ ભરાડ-જેન્તીભાઇ તેરૈયાનું સન્માનઃ જ્ઞાતિજનોને આમંત્રણ
રાજકોટઃ તા.૧૩, આવતીકાલે રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિના સ્નેહમીલન કાર્યક્રમનું આયોજન થયું છે. જેમા શિક્ષિણવિદ્ ગિજુભાઇ ભરાડ અને સંસ્થાના પુર્વ પ્રમુખ જેન્તીભાઇ તેરૈયાનું સન્માન કરવામાં આવશે.
રૈયા રોડ ઉપર આવેલ પ્રમુખસ્વામી ઓડીટોરીયમ ખાતે આવતીકાલે તા.૧૫ના બુધવારે બપોરે ૩:૩૦ થી ૭ વાગ્યા સુધી આયોજીત આ કાર્યક્રમમાં શિક્ષણના દિગ્ગજો પાસેથી નવ વિશ્વની વાતો અને સાથે સાથે દેશભકિતના રંગે રંગાવાને ઉત્સવ અને ખમીરવંતો રાજગોરના ઉજજવળ ઇતિહાસની વાતો... લોકસાહિત્યકાર દેવાયતભાઇ ખવડના હોનહાર મિજાજમાં માણવાનો લ્હાવો મળશે. સમગ્ર કાર્યક્રમને યુથ કલબના ફેસબુક પેઇજ પર લાઇવ કરવામાં આવશે. કાર્યક્રમ બાદ સમુહ મહાપ્રસાદનુંં આયોજન પણ રાખેલ છે.
આયોજનને સફળ બનાવવા રાજગોર બ્રાહ્મણ યુથ કલબના ચેરમેન બંકીમભાઇ મહેતા, પ્રમુખ સંજયભાઈ દવે, મંત્રી કશ્યપભાઈ દવે સાથે સમગ્ર ટીમ લલિતભાઈ ધાંધીયા, ગિરધરભાઈ જોષી, ધર્મેશભાઈ મહેતા, અલ્પેશભાઈ રવિયા, દિલીપભાઈ તેરૈયા, સંજયભાઈ જોષી, ચિમનભાઈ સાંકળીયા, યોગેશભાઈ મહેતા, આશિષભાઈ મહેતા, મનોજભાઈ મંડિર, જસ્મિન ભાઈ માઢક, ડો. જયંત ભાઈ મહેતા, અજયભાઈ જોષી, ગોરધનભાઈ બામટા, અનિલભાઈ જોષી, હરેશભાઈ જોષી, ભાવિનભાઈ મંડીર, દિનેશ ભાઈ બોરીસાગર, જતીનભાઈ મહેતા, નૈમિષભાઈ શીલુ, અશ્વિનભાઈ જોશી, ભાવિક ભાઈ પંડયા, નરેન્દ્રભાઈ ધ્રાંગડ, કેતનભાઈ બોરીસાગર, શૈલેષભાઈ દવે, ધીરેન ભાઈ પુરોહિત, આકાશભાઈ રવિયા, અરૂણભાઈ દવે, જતીનભાઈ દવે, પંકજભાઈ ચાંવ, મોહિત ભાઈ જોષી, ચિરાગભાઈ બોરીસાગર જહેમત ઉઠાવી રહ્યા છે. વધુ વિગતો માટે મો.૯૬૬૨૫ ૨૫૭૭૭ ઉપર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)