મેનેજમેન્ટ એસો. દ્વારા હ્યુમન રીલેશન અંગે વાર્તાલાપ
માણસે એકબીજાના પરસ્પર સંબંધો સાચવવા શું કાળજી રાખવી અને સંબંધોને ટકાવવા શુ કરવુ તે અંગે રાજકોટ મેનેજમેન્ટ એસોસીએશન દ્વારા તાજેતરમાં 'હ્યુમન રીલેશન ઇન ન્યુ મિલેનિયા' વિષય પર વાર્તાલા યોજવામાં આવ્યો હતો. જેમાં જાણીતા મોટીવેશ્નલ સ્પીકર શૈલેષભાઇ સગપરીયાએ વિસ્તૃત છણાવટ કરી હતી. કાર્યક્રમનું સંચાલન એસો.ના ઓનરરી સેક્રેટરી પરેશભાઇ ગોસાઇએ કરેલ. પ્રમુખ પરાગભાઇ જોબનપુત્રાએ આભારવિધિ કરેલ. ઉપપ્રમુખ જયેનભાઇ કોટેચા અને આઇ.પી.પી. ચેતનભાઇ કોઠારીએ સંસ્થાની પ્રવૃત્તિઓની માહીતી રજુ કરી હતી. આ કાર્યક્રમમાં કાઉન્સીલ મેમ્બર ડો. ધર્મેશ રાવલ, દિપકભાઇ સચદે, રિપલભાઇ પટેલ, પ્રશાંતભાઇ વોરા, રાજુભાઇ હરીયાણી, અજીતભાઇ નથવાણી, દિનકરભાઇ દેસાઇ, સુશીલ નાયડુ, નિલેશભાઇ સચદેવ, હિરાભાઇ માણેક, અવિનાશ દવે, બી. યુ. મહેતા, વૈશાલી પારેખ તેમજ વિવિધ સંસ્થાના પ્રતિનિધિઓ અને મેનેજમેન્ટ કોલેજના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહેલ.