રાજકોટ
News of Thursday, 14th March 2019

૯૧ વર્ષના સ્‍વાતંત્રસેનાની મનસુખભાઇ પંચાલના અગત્‍યના કાગળો સાથીની ફાઇલ ખોવાઇ

 રાજકોટઃ તા.૧૪, ૯૧ વર્ષના જાણીતા લોકસેવક અને સ્‍વાતંત્રસેનાની શ્રી મનસુખભાઇ પંચાલની અગત્‍યના કાગળો સાથેની ફાઇલ ખોવાયેલ છે. તેઓ અમદાવાદથી ઉપલેટા જતી બસમાં મુસાફરી કરી રહયા હતા તે દરમિયાન આ ફાઇલ ખોવાયેલ છે. જેમા રાષ્‍ટ્રપતિશ્રી, વડાપ્રધાનશ્રી, મુખ્‍યમંત્રી શ્રી  તેમજ જનતાના સંદેશોઓ લખેલા છે. કોઇને આ ફાઇલ મળે તો તેઓએ અરવિંદ કેન્‍દ્ર, ૨૩ સેકટર, ગાંધીનગર ખાતે અથવા હરીભાઇ (મનસુખભભાઇના મિત્ર)નો મો. ૯૪૨૭૦ ૨૦૪૨૯ નો સંપર્ક કરવા વિનંતી કરાઇ છે.

(4:20 pm IST)