રાજકોટ
News of Thursday, 14th March 2019

મારી વાતો કેમ કરો છો કહી રાજેન્દ્રને સંદિપે છરી ઝીંકી

વીર સાવરકરનગર પાસે મોડી રાત્રે મારામારી

રાજકોટ તા. ૧૪: અવધ રોડ પર વિર સાવરકરનગર બ્લોક નં. એકસ-૬૦૫માં રહેતાં રાજેન્દ્ર નંદલાલભાઇ ગોહેલ (ઉ.૨૯)ને રાત્રીના અગીયારેક વાગ્યે ઘર નજીક હતો ત્યારે વીર સાવરકર બ્લોક નં. ૩૦૪માં રહેતાં સંદિપ ગોહેલ નામના શખ્સે ગાળો દઇ ગડદા-પાટુનો માર મારી ગાલ  પર કાન નીચે છરીથી ઇજા કરતાં સારવાર લેવી પડી હતી. યુનિવર્સિટીના એએસઆઇ કે. આર. કાનાબારે રાજેન્દ્રની ફરિયાદ નોંધી હતી.

રાજેન્દ્રના કહેવા મુજબ તે ભાડાના મકાનમાં રહે છે. બીજુ મકાન જોવા જવાનું હોઇ જે બાબતે રાત્રે પોતે મિત્ર સાથે વાતચીત કરતો હતો ત્યારે સંદિપ ત્યાં આવતાં તેણે સામે જોઇ તમે કેમ મારી વાતો કરો છો? તેમ કહી હુમલો કર્યો હતો. પોલીસે હુમલાખોરની શોધ આદરી છે.

(3:31 pm IST)