ગોકુલનગર પાસેથી છકડો ચોરી કરી દોઢ વર્ષથી ફેરવતા ધર્મેશ અને કૃપાલ પકડાયા
રાજકોટ તા.૧૨: ગોકુલનગર મેઇન રોડ પરથી માલવીયાનગર પોલીસે બાતમીના આધારે ચોરાઉ છકડો રીક્ષા સાથે બે શખ્સોને પકડી લીધા છે.
મળતી વિગતો મુજબ પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ તથા જોઇન્ટ કમિશ્નર સિદ્ધાર્થ ખત્રીની સૂચનાથી માલવીયાનગર પોલીસ મથકના પીઆઇ એન.એન. ચુડાસમાંનાં માર્ગદર્શન હેઠળ પીએસઆઇ યુ.બી. જોગરાણા, હેડ કોન્સ. રાહીદભાઇ સમા, ભાવેશભાઇ ગઢવી, હરપાલસિંહ, તથા અરૂણભાઇ ચાવડા સહિત પેટ્રોલીંગમાં હતા ત્યારે પીએસઆઇ યુ.બી. જોગરાણાને મળેલી બાતમીના આધારે ગોકુલનગર મેઇન રોડ પરથી જી.જે. ૩ બી.યુ. ૧૯૮૩ નંબરના ચોરાઉ છકડો રીક્ષા સાથે નવલનગર શેરીનં. ૩નો ધર્મેશ ઉર્ફે ધમો રાજુભાઇ સોલંકી (ઉ.વ.૨૫) અને જનકપુરી આશ્રમ પાસે રહેતો કૃપાલ ઉર્ફે ગોપાલ નારણદાસ પુણ્યવૈરાગી (ઉ.વ.૨૪) ને પકડી લીધા હતા. બંનેએ છકડો ત્રણ વર્ષ પહેલા માલવીયાનગર વિસ્તારમાંથી ચોર્યાની કબુલાત આપી હતી.