રાજકોટ
News of Thursday, 8th November 2018

રાજકોટ સ્વામિનારાયણ મંદિરમાં હરિભક્તોએ ચોપડા સહિત લેપટોપનું કર્યું પૂજન

 

રાજકોટઃ આજે દિવાળીનાં પર્વને દિવસે ઠેર-ઠેર વેપારીઓ દ્વારા ચોપડાઓનું પૂજન કરવામાં આવે છે. ત્યારે રાજકોટનાં સ્વામિનારાયણ મંદિરમાં સમૂહ ચોપડા પૂજનનું આયોજન થયેલ જેમાં મોટી સંખ્યામાં હરિભક્તો જોડાયાં હતાં.

હરિભક્તો દ્વારા ચોપડા પૂજન સાથે વખતે આધુનિક પૂજન પણ કરાયું હતું જેમાં ચોપડાની સાથે સાથે લેપટોપનું પણ પૂજન કરાયું હતું વેળાએ અનેક સંતોની સાથે તેઓની હાજરીમાં હરિભક્તોએ વેદોક્ત મંત્રોચ્ચાર સાથે ચોપડાપૂજન અને લેપટોપનું પૂજન કર્યું હતું. પૂજનમાં અનેક હરિભક્તોમાં વેપારીઓ તેમજ મોટા મોટા ઉદ્યોગકારો હાજર રહ્યાં હતાં.

(10:23 pm IST)