પરસાણાનગરના બુટલેગર એઝાજ શેખને પાસા તળે જેલમાં ધકેલાયો
ભકિતનગર પોલીસે વોરંટીની બજવણી કરીઃ વડોદરા જેલ હવાલે
રાજકોટ તા.૧૧: ભકિતનગર, માલવીયાનગર અને પ્રદ્યુમનનગર વિસ્તારમાં વિદેશી દારૂના ગુનામાં સામેલ પરસાણાનગરના મુસ્લિમ શખ્સને ભકિતનગર પોલીસે પકડી પાસા હેઠળ જેલમાં ધકેલી દીધો છે.
મળતી વિગત મુજબ ભકિતનગર પોલીસ મથક, માલવીયા નગર તથા પ્ર.નગર પોલીસ મથકમાં અગાઉ વિદેશી દારૂના ગુન્હામાં પકડાયેલા બુટલેગર એઝાઝ સીકંદરભાઈ શેખ (ઉ.વ.૨૭) (રહે. પરસાણાનગર પાસે હુડકો કવાર્ટર જામનગર રોડ)ને પાસામાં ધકેલવા માટે પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે વોરંટ ઈશ્યુ કરતા ભકિતનગર પોલીસ મથકના પીઆઈ વી.કે. ગઢવી, પીએસઆઈ પી.એમ. ધાખડા તથા હેડ કોન્સ. નિલેશભાઈ મકવાણા, ભાવીનભાઈ ગઢવી, ભાવેશભાઈ મકવાણા અને દેવાભાઈ ધરજીયા તથા પ્ર.નગરના અરવિંદભાઈ, જયદીપભાઈ તથા પીસીબીના રાજુભાઈ દેકવાલે એઝાઝ શેખની પાસા હેઠળ અટકાયત કરી વડોદરા જેલમાં ધકેલી દીધો હતો. (૧.૨૪)