News of Wednesday, 13th June 2018
કાઠિયાવાડ નિરાશ્રીત બાલાશ્રમના ધો.૧૦-૧૨ ના તારલાઓએ તેજ ઝળહળાવ્યુ
રાજકોટ : શહેરના લોધાવાડ ચોકમાં આવેલ કાઠીયાવાડ નિરાશ્રીત બાલાશ્રમ (ફોન ૦૨૮૧ ૨૨૨૨૦૭૧) માં રહીને અભ્યાસ કરતા બાળકોએ ધો.૧૦ અને ૧૨ ની પરીક્ષામાં તેજસ્વીતા પુરવાર કરી બતાવી છે. જેમાં બોયઝમાં વાઘેલા વીવેક ૯૫.૪૫ %, રાઠોડ સંજય ૯૩.૨૫ %, ચૌહાણ ધવલ ૮૯.૪૦ %, જૈન રીધમ ૮૮.૮૮ %, વાઘેલા યશ ૭૭.૮૧ %, પંડયા અમન ૭૩.૮૫ %, મોવાડીયા વિશ્નુ ૭૨.૬૭ %, જેઠવા નીરજ ૭૧.૧૨ %, લખધીર અમીતકુમાર ૭૦.૫૦ %, ભોજક નિરવ ૬૫.૮૫ %, ગૌસ્વામી કૃણાલ ૬૦.૯૨ % મેળવેલ. તેમજ ગર્લ્સમાં બાલાશ તેજલ ૭૮૧૯ %, વાઘેલા શીતલ ૭૪.૯૬ %, ધારીકા દોશી ૪૯.૫૬ %, ગોહેલ ભાવિકા ૪૬.૮૫ %, પરમાર પુજા ૫૧.૨૩ %, બુખારી સોનીયા ૯૩.૮૬ %, દોશી પુજા ૫૧ % મેળવી સંસ્થાનું ગૌરવ વધારેલ છે.
(3:41 pm IST)