રાજકોટ
News of Wednesday, 16th May 2018

ધાર્મિક બાંધકામ તોડનાર તંત્રને ગેરકાયદે બાંધકામો નથી દેખાતા? મહેશ રાજપુત

રાજકોટઃ શહેર કોંગ્રેસ પ્રમુખ મહેશ રાજપુતે એક નિવેદનમાં આક્ષેપ કરતા જણાવ્યું છે કે ઢેબર રોડ વન-વેમાં નાનું મંદિર ગઇકાલે તંત્રએ તોડી નાખ્યું પરંતુ મોટા મોટા ગેરકાયદે બાંધકામોને છોડી દેવાયા છે  અને આ નિવેદન સાથે તેઓએ ગઇકાલે તોડી પડાયેલ મંદિર તથા મોટી ટાંકી ચોક વિસ્તારમાં થયેલ ગેરકાયદે બાંધકામ ના ફોટોગ્રાફ રજુ કર્યા છે. જે તસ્વીરમાં દર્શાય છે.

(4:19 pm IST)