રાજકોટ
News of Tuesday, 17th April 2018

પૂ.શ્રી પરમ સંબોધિજી મ.આદિ ઠાણા-૧૧ના સાનિધ્યે ૧૫ થી ૩૦ વર્ષની યુવતિઓ માટે

ઉવસગ્ગહરં સાધના ભવન ખાતે યુવા સંસ્કાર શિબિર

રાજકોટ તા. ૧૭ : રાષ્ટ્રસંત પૂજય શ્રી નમ્રમુનિ મ.સા.ની સુશિષ્યાઓ પૂજય શ્રી પરમ સંબોધિજી મહાસતીજી આદિ ઠાણા-૧૧ના સાનિધ્યે ૧૫ થી ૩૦ વર્ષની યુવતીઓ માટે યુવા સંસ્કાર શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. આ વિશિષ્ટ શિબિરમાં મહાસતીજીઓ અમુલ્ય માર્ગદર્શન આપીને શિબિરાર્થીઓની લાઇફને યુ ટર્ન આપશે.

વિવિધ પ્રકારની ધ્યાન સાધના, અચરજ પમાડી દે તેવા પ્રેકટીકલ પ્રયોગો, ઓડીયો - વિઝયુઅલ ડેમોન્સ્ટ્રેશન, યોગા, ઇન્ટ્રેસ્ટીંગ કવીઝ અને ગેમ્સ, મેલડીયસ ભકિત સ્તવના, બોધ પ્રવચન આદિ અનેક પ્રકારની વિવિધતા સાથેની આ શિબિર શ્રી ઉવસગ્ગહરં સાધના ભવન ૧૭ મે થી ૨૧ મે પાંચ દિવસ માટે આયોજીત કરવામાં આવી છે. શિબિરમાં જોડાવા ઇચ્છુક યુવતીઓએ પોતાના ફોર્મ્સ તા. ૧૫-૫ સુધી શ્રી ઉવસગ્ગહરં સાધના ભવન કાલાવડ રોડ ખાતે સબમીટ કરવાના રહેશે.

શિબિરાર્થીઓએ શ્વેત વસ્ત્રો પહેરવા ફરજીયાત છે. પોતાનું બેડીંગ સાથે લાવવાનું રહેશે. તા. ૧૬-૫ થી સાંજે ૬ કલાક સુધીમાં શિબિરના સ્થળે પહોચવાનું રહેશે. વધુ વિગત માટે મો. ૯૦૦૪૮ ૬૧૧૫૭/૯૭ ઉપર સંપર્ક સાધવા જણાવાયું છે.(૪૫.૪)

(4:37 pm IST)