આગલોડ મુકામે પ.પૂ.યોગદિવાકર આ.ભ.શ્રી. વિજય આનંદધનસુરીશ્વરજી મહારાજાની
ગુરૂમુર્તિ - ચરણ પાદુકાની સ્મૃતિ મંદીર તથા સમાધી મંદીરમાં પ્રતિષ્ઠા મહોત્સવનો કાલથી પ્રારંભ
રાજકોટઃ તા.૧૬: આગલોડના પ્રાંગણમાં પ.પૂ. યોગદિવાકર આ.ભ.શ્રી વિજય સુરીશ્વરજી મહારાજની ગુરૂમુર્તિ તેમજ ચરણ પાદુકાની સ્મૃતિ મંદીર તેમજ સમાધિ મંદીરમાં પ્રતિષ્ઠા મહામહોત્સવનો કાલથી પ્રારંભ થઇ રહયો છે.
આ પ્રસંગે કાલે સવારે ૯:૩૦ કલાકે પંચકલ્યાણક પુજા તથા બપોરે ૧૨.૩૯ કલાકે માણિભાદ્ર ઇન્દ્ર મહારાજનું વિશિષ્ટ મહાપુજન યોજાશે. બુધવારે સવારે ૧૦ કલાકે નવપદજીની પુજા તથા ગુરૂવારે સવારે ૮:૩૦ કલાકે શ્રી ગુરૂપાદુકા, ધ્વજ દંડથ કળશ તથા ચૈત્ય અભિષેક યોજાશે. તથા બપોરે ૧૨:૩૯ કલાકે શ્રી નવગ્રહ, દશદિકપાલ, અષ્ટમંગલ તથા પાટલા પુજન કરવામાં આવશે.
જયારે શુક્રવારે તા.૨૦ના રોજ સવારે ૬:૩૦ કલાકે શ્રી ગુરૂમુર્તિ તેમજ ગુરૂપાદુકાની મહામંગલકારી પ્રતિષ્ઠા તથા ગુરૂ મંદીરમાં ધ્વજા રોહણ કરાશે. જયારે રાત્રે ૯:૩૦ કલાકે શ્રી બૃહદ અષ્ટોત્તરી શાંતિસ્નાત્ર મહાપુજન યોજાશે.
મહોત્સવના અંતિમ દિવસે તા.૨૧ના રોજ સવારે ૫:૩૦ કલાકે શ્રી ગુરૂમંદીર ધ્વારોદ્ઘાટન તથા શ્રી વાસુપુજય પ્રભુજીની વર્ષગાંઠ ઉજવાશે. આ તમામ કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં શ્રાવક-શ્રાવિકાઓને ઉપસ્થિત રહેવા સંઘ તરફથી ભાવભર્યું આમત્રંણ પાઠવાયું છે. (૪૦.૩)