ઉદ્દીયાત ગ્રુપની અનુકરણીયઃ જરૂરીયાત મંદોને ૨૦ હજાર પતંગો આપી
રાજકોટ : આગવી ડિઝાઇન, નવીનતા અને અનોખી શૈલીના વિવિધતમ રીઅલ એસ્ટેટના પ્રોજેકટસ દ્વારા બહુજ ટુંકાગાળામાં ખ્યાતિ પ્રાપ્ત કરનાર ઉદ્દીયાતિ ગ્રુપ દ્વારા સમાજના જુદા-જુદા સ્લમ વિસ્તારોમાં, બહેરા મુંગા વિદ્યાર્થીઓની શાળાઓમાં, બાલાશ્રમોમાં, મોચા હનુમાન માધવપુર ઘેડ તથા જરૂરીયાંત મંદોને આજરોજ આશરે ૨૦,૦૦૦ (વીસ હજાર) જેટલી પતંગોનું વિતરણ કરવામાં આવ્યું હતું. ઉદ્દીયાત ગ્રુપના પ્રમોટર અને મેનેઝીંગ ડીરેકટર શ્રી નીરવભાઇ કનેરીયા તથા વરૂણભાઇ સાવલીયા જણાવે છે કે દરેક કોર્પોરેટર્સ કંપનીઓએ પોતાની સમાજ પ્રત્યેની જવાબદારીઓ નિભાવવી જોઇએ કે જેથી સમાજ પ્રત્યેનું ઋણ ચુકવી શકીએ. આ માટે ઉદ્દીયાતી ગ્રુપ દ્વારા કર્તવ્ય ફાઉન્ડેશનની પણ સ્થાપના અગાઉથી કરવામાં આવી છે. જેને ઉત્કૃષ્ટ કામગીરી બદલ ગુજરાત ગવર્મેન્ટે વિદ્યાર્થીઓના જીવન ઘડતરની આગવી શૈલી માટે આઇ સ્કેલ એવોર્ડથી પણ નવાજેલ છે. ગુજરાતની દરેક કંપની જો માર્ગે પર આગળ વધશે તો ભવિષ્ય દુર નથી કે જયાં દરેક ગુજરાતી વર્ગનો અહેસાસ કરી શકશે કે હા ! હું ગુજરાતી છું!