રાજકોટ
News of Saturday, 13th January 2018

લોકોને મકરસંક્રાતિ પર્વની શુભેચ્છા પાઠવતા ભંડેરી-ભારદ્વાજ-મિરાણી

રાજકોટ તા.૧૩: ગુજરાત ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરી, પ્રદેશ  ભાજપ અગ્રણી નિતીન ભારદ્વાજ, શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીએ શહેરીજનોને મકરસંક્રાતિ પર્વની શુભેચ્છા પાઠવતા જણાવ્યું છે કે ઉતરાયણ આપણો સામાજિક તહેવાર છે સમાજના નાના-મોટા, અબાલ-વૃધ્ધ, સ્ત્રી અને પુરૂષ, શ્રીમંત અને ગરીબ, દરેક સમાજનો લોકો માટે આ તહેવારનું પોતપોતાની રીતે આગવું મહત્વ છે

સાથોસાથ આ પર્વની મોટી મર્યાદા એ છે કે પતંગોના પાકકા દોરાઓ પંખીઓની પાંખ વીજે છે. નિદોર્ષ પશુપક્ષી ઘાયલ થાય છે. પશુ-પક્ષી પ્રેમીઓ આ પર્વને દાનનો મહિમા પૂરતો રાખવાની યાચના કરે છે. કા તો કાચા દોરા રાખવામાં આવે તો જીવહાનિ થાય નહી. આ પર્વની બીજી મર્યાદા એ છે લોકો એટલા ગાંડાતુર થાય છે કે અગાસીમાંથી પડી જવાના અઢળક કિસ્સાઓ પણ બેને છે. તેમ જણાવી સૌએ થોડી કાળજી રાખી પર્વ મનાવવા અંતમાં ધનસુખ  ભંડેરી, નિતીન ભારદ્વાજ, કમલેશ મિરાણીએ અપીલ કરી છે.(૧.૧૪)

(4:22 pm IST)