News of Saturday, 13th January 2018
૪૦૦ થી માંડીને ૧પ૦૦૦ સુધીની વિવિધ ચીજોનું દાન કરવા હાકલ
સ્વામિનારાયણ ગુરૂકુળ દ્વારા દાનની સરવાણી વહેવડાવવા ટહેલ...
રાજકોટ તા.૧૩ : શ્રી સ્વામિનારાયણ ગુરૂકુળ દ્વારા કાલે મકરસંક્રાંતિ પર્વ નિમિતે દાનની સરવાણી વહેવડાવવા માટે અપીલ કરાઇ છે.
શ્રી સ્વામિનારાયણ ગુરૂકુળ, ઢેબર રોડ ખાતે તા.૧૪ અને ૧પ ના રોજ સવારના ૬ થી સાંજના ૬ વાગ્યા સુધી ગૌપૂજન, વૌસેવા, અને ગૌદાનનો અલભ્ય લાભ લેવા દાતાઓને હાલક કરાઇ છે.
જેમાં ૧ ગુણી ઘઉંનું ભુસુ ૪૦૦ રૂ., ૧ ગુણી અડદનું ભુસુ઼, ૩પ૦ રૂ.,૧ ગુણી ચણાનું ભુસું, ૪પ૦ રૂ., ૧ ગુણી ખોળ, ૭૦૦, ૧ ગુણી કપાસીયાનો ખોળ ૧૦૦૦ રૂ., ૧ ગુણી મકાઇનો ખોળ ૧ર૦૦ રૂ., ૧ ડબ્બો ગોળ ૮૦૦ રૂ., ૧ ગાડી જુવારની કડબ ૧પ૦૦૦ રૂ. દાન કરવા અપીલ કરાઇ છે.(૬.૧૬)
(4:21 pm IST)