રાજકોટ
News of Saturday, 20th November 2021

પ્રતિબંધિત ન હોય તેવુ ખાવા સૌ સ્વતંત્રઃ નોનવેજની લારીઓ બાબતે સૂચના

રાજકોટ તા. ૨૦ : શહેરના મેયર પ્રદીપ ડવ રાજમાર્ગો પરથી ઇંડા અને માંસાહારી વસ્તુઓની લારીઓ હટાવવા ઝુંબેશ ચલાવી રહ્યા છે ત્યારે પ્રદેશ ભાજપ પ્રમુખે તે સંદર્ભે અલગ અભિપ્રાય આપ્યા છે. જો કે તે બાબત અડચણરૂપ કોઇપણ લારી - ગલ્લાને હટાવવાની બાબતને લાગુ પડતી નથી.

પત્રકારોના પ્રશ્નના જવાબમાં પ્રદેશ ભાજપ પ્રમુખે જણાવેલ કે, પ્રતિબંધિત ન હોય તેવી વસ્તુ કોઇપણ વ્યકિત ખાઇ શકે છે. પોતાનું શું ખાવું ? તે બાબતે લોકો સ્વતંત્ર છે. મહાનગરોના શાસકો દ્વારા જે કાર્યવાહી ચાલે છે તેના અનુસંધાને યોગ્ય સૂચના અપાયેલ છે.

(3:08 pm IST)