News of Monday, 19th November 2018
અટીકા નહેરૂનગરમાં સૂરજ બિહારીનું દાઝી જતાં મોત
રાજકોટ તા. ૧૯: અટીકાના નહેરૂનગર-૪માં રહેતો મુળ બિહારનો યુવાન સૂરજ વીરબહાદુર પટેલ (ઉ.૨૨) તા. ૧૬ના રાત્રે ગંભીર રીતે દાઝી જતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતો. તેણે ગત રાત્રે દમ તોડી દેતાં પરિવારજનોમાં ગમગીની છવાઇ ગઇ હતી.
સૂરજ બે ભાઇ અને બે બહેનમાં મોટો હતો અને કારખાનામાં કામ કરતો હતો. કોઠીવાળા સ્ટવ પર રસોઇ બનાવતો હતો ત્યારે સ્ટવ ફાટતાં ભડકો થતાં દાઝી ગયાનું તેણે સારવારમાં હતો ત્યારે જણાવ્યું હતું. રાત્રે મોત નિપજતાં હોસ્પિટલ ચોકીના દેવરાજભાઇ નાટડા અને ધર્મેશભાઇ ડાંગરે જાણ કરતાં ભકિતનગરના બી. બી. કોડીયાતરે જરૂરી કાર્યવાહી કરી હતી.
(3:36 pm IST)