રાજકોટ
News of Tuesday, 20th October 2020

રા.લો. સંઘના ચેરમેન નરેન્દ્રસિંહને શુભેચ્છા

રાજકોટ : એશીયાની સર્વશ્રેષ્ઠ ગણાતી રાજકોટ લોધીકા સહકારી સંઘના ચેરમેન તરીકે નરેન્દ્રસિંહ જાડેજાની સર્વાનુમતે વરણી થતાં સામાજીક અગ્રણી રાજુભાઇ જુંજા અને મહેન્દ્રસિંહ જાડેજા (ઇટાળા)એ નરેન્દ્રસિંહ જાડેજાને પુષ્પગુચ્છ આપી શુભેચ્છા  પાઠવી હતી. વર્ષોથી લોકસેવાના કાર્યમાં જોડાયેલા નરેન્દ્રસિંહ જાડેજા એક સાચા લોકપ્રહરી તરીકે ઉપસી આવ્યા છે. તેઓ ખેડૂતોની મુશ્કેલીઓને ખૂબ નજીકથી સમજી શકતા હોવાને કારણે ખેડૂતો નાનામાં નાની ન્યાયીક રજુઆતો અને માંગણીઓને પૂરો ન્યાય મળશે.  તેમ એક યાદીમાં જણાવાયું છે.

(4:03 pm IST)