રાજકોટ
News of Sunday, 20th October 2019

મનહરપુરમાં અગાઉની ફરિયાદનો ખાર રાખી કરસનભાઇ કોળી પર ચાર શખ્સોનો લાકડી-પાઇપથી હુમલો

રાજકોટઃ મનહરપુર-૧ સિંધીયાપીરના મંદિર પાસે રહેતાં કરસનભાઇ મોહનભાઇ ઉકેળીયા (ઉ.૬૦) નામના કોળી વૃધ્ધ પર સુર્યા કેશુભાઇ ઉકેળીયા, અજય માનસિંગભાઇ તથા બે અજાણ્યા શખ્સોએ લાકડી-પાઇપથી હુમલો કરતાં તેમજ વચ્ચે પડેલા વિનોદભાઇ સુરેલાને પણ માર મારતાં યુનિવર્સિટી પોલીસ મથકના ડી. વી. બાલાસરાએ ગુનો નોંધ્યો છે. અગાઉ કરસનભાઇએ અજય વિરૂધ્ધ ફરિયાદ કરી હોઇ તેનો ખાર રાખી આ હુમલો કરવામાં આવ્યો હતો.

(11:43 am IST)