જય ઉમિયા ગરબી મંડળે ૨૯મો નવરાત્રી મહોત્સવ ઉજવાયો
રાજકોટના વોર્ડ નં.૨માં રેલ્વે ફાટક રૈયા રોડ પાસે આવેલ સુભાષનગર-૨ના આદિત્ય ચોકમાં અવિરત છેલ્લા ૨૯ વર્ષથી ભકિતભાવથી નવરાત્રી ઉત્સવ ઉજવાય છે, નાની બાળાઓ ગરબા લઇને નવદુર્ગાની આરાધના કરે છે. નવરાત્રીના આ ધર્મોત્સવનું આશિષ પટેલ, રજત સંઘવી, હર્ષદ ઉનાગર, ભાવેશ ત્રિવેદી, રાજેશ મકવાણા વગેરે યુવા મિત્રો સ્વયંભુ, ભકિત ભાવનાથી સંચાલન કરે છે, આસપાસના પ્રેમાળ પાડોશીઓના સહયોગથી આ મહોત્સવ દર વર્ષે સુચારૂ સમાપન થાય છે.
૨૯માં આ વર્ષે સાક્ષીબેન રાઠોડ, એશ્વર્યા પાટડીયા, હિરલબેન અનડકટ, કિંજલ પાટડીયા, શશીબેન સંઘવી, નેહાબેન રાણા વગેરે બહેનોના સહયોગથી રાસગરબાના કાર્યક્રમો દીપી ઉઠયા હતા. નવરાત્રીના નવ દિવસે દરમિયાન અલ્પાબેન પાટડીયાએ કાર્યક્રમ સંચાલનની સુચારૂ સેવાઓ આપી હતી, નિલેશભાઇ પ્રજાપતિએ લેપટોપ ઉપર સમગ્ર કાર્યક્રમનું સંચાલન કર્યું હતુ.