થોરાળામાં જેન્તીએ સંબંધી વિજયાબેનના ઘરમાં છુપાવેલો ૧૨ હજારનો બીયર જપ્ત
રામનાથપરામાં દારૂ પી વાહન હંકારતા વિક્રમ અને નિરજ પકડાયા
રાજકોટ તા. ૨૦: થોરાળા પોલીસે ન્યુ સર્વોદય સોસાયટી-૭માં રહેતી વિજ્યા હીરા રાઠોડના મકાનમાં દરોડો પાડી રૂ. ૧૨૦૦૦ના બીયરના ૧૨૦ ટીન કબ્જે લીધા હતાં. આ બીયર જેન્તી આલાભાઇ ચાવડાએ છુપાવ્યો હોઇ પોલીસે તેની સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
ઉપરી અધિકારીઓ અને થોરાળા પીઆઇ એસ. એન. ગડુની સુચના હેઠળ પીએસઆઇ પી. ડી. જાદવ, એએસઆઇ બી. જે. જાડેજા, કોન્સ. ધર્મેન્દ્રસિંહ ઝાલા, આશિષભાઇ દવે અને કનુભાઇ ઘેડ સહિતની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે બી. જે. જાડેજા, ધમભા અને આશિષભાઇને મળેલી બાતમી પરથી આ દરોડો પાડવામાં આવ્યો હતો. જેન્તીએ પોતાના સગા વ્જ્યિાબેનના ઘરમાં બીયરની પાંચ પેટીઓ ઉતારી હોવાની માહિતી પરથી આ દરોડો પાડવામાં આવ્યો હતો. તે હાજર ન હોઇ તેની શોધખોળ થઇ રહી છે.
રામનાથપરા જુની જેલ પાસેથી નવયુગપરા-૨નો વિક્રમ દિનેશભાઇ રાઠોડ (ઉ.૩૫) તથા નવા થોરાળા આરાધના સોસાયટી-૪નો નિરજ હમીરભાઇ મકવાણા (ઉ.૨૪) દારૂ પી પોત પોતાના વાહનો જીજે૩ડીએમ-૭૯૮૦ તથા જીજે૩ડીકયુ-૩૧૦૦ હંકારીને નીકળતાં એ-ડિવીઝનના વી. ડી. ઝાલા, હારૂનભાઇ, હાર્દિકસિંહ, ધર્મેન્દ્રસિંહ સહિતે પકડી લઇ કાર્યવાહી કરી હતી. (૧૪.૫)