સોમવારે વાણંદ સમાજના વન- ડે ડાંડીયા રાસ
રાજકોટ,તા.૨૦: શ્રી ક્ષૌરકર્મ ધંધાદાર સમિતિ રાજકોટ દ્વારા તા.૨૨ના સોમવારે સાંજે ૬થી ૧૧ દરમ્યાન રાધે રજવાડી મહોત્સવ ગ્રાઉન્ડ (મવડી- પાળ રોડ, વનવિહાર રેસ્ટોરન્ટની બાજુમાં, મવડી) ખાતે વાણંદ સમાજના વન-ડે ડાંડીયારાસનું આયોજન કરવામાં આવેલ છે.
વાણંદ સમાજના ભાઈ- બહેનો માટે આયોજીત આ ડાંડીયારાસમાં ૮૦ હજાર વોટની સાઉન્ડ સિસ્ટમ્સ સાથે ખેલૈયાઓ સંગીતના સથવારે ઝુમશે. પાસની ફી રૂ.૧૦૦ રાખેલ છે. પ્રથમ પ્રિન્સ- પ્રિન્સેસને ગોવાની ટૂર સાથે અનેક ઈનામો આપવામાં આવશે.
આયોજનને સફળ બનાવવા આયોજકો અરવિંદભાઈ સોલંકી, ગિરધરભાઈ બગથરીયા, નિતીનભાઈ રાઠોડ, ભરતભાઈ ધોળકીયા, અતુલભાઈ વાજા, તરૂણભાઈ રાઠોડ, હરેશભાઈ લીંબાણી, સતીસભાઈ પોપટાણી, નિરવભાઈ જાદવ, કિસનભાઈ બુટાણી, બિપીનભાઈ ચૌહાણ, ધવલભાઈ પરમાર, વિપુલભાઈ બગથરીયા, હિતેષભાઈ સીંસગીયા, દિપકભાઈ સીંસગીયા, નિતીનભાઈ સોલંકી, ધવલભાઈ સોલંકી અને કપીલભાઈ સોલંકી જહેમત ઉઠાવી રહ્યા છે.(તસ્વીરઃ વિક્રમ ડાભી)