રાજકોટનો આજી-૧ ડેમ ઓવરફલો થતા નવા નીરના વધામણા કરી હરખ વ્યકત કરતા મહાનગરપાલિકાના પદાધિકારીઓ
રાજકોટ, તા. રપ : તાજેતરમાં વરસેલા સારા વરસાદને પગલે નવા નીરની આવકથી રાજકોટનો આજી-૧ ડેમ આજે સાંજે ૪.૧૫ વાગ્યા આસપાસ છલકાવાનું શરૂ થયું હતું. રાજકોટને પીવાનું પાણી પુરૂ પાડતો ન્યારી-૧ ડેમ છલકાઇ ગયા બાદ હવે આજી-૧ ડેમ પણ છલકાઈ જતા શહેરીજનોમાં આનંદની લાગણી વ્યાપી ગઇ છે. આનંદના આ અવસરે રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારીઓ મેયર ડો. પ્રદિપ ડવ, ડેપ્યુટી મેયર ડો.દર્શિતાબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી પુષ્કરભાઈ પટેલ, શાસક પક્ષના નેતા શ્રી વિનુભાઈ ધવા, દંડક શ્રી સુરેન્દ્રસિંહ વાળા અને વોટર વકર્સ કમિટીના ચેરમેન દેવાંગભાઈ માંકડ સહિતના મહાનુભાવો આજે સાંજે આજી-૧ ડેમની મુલાકાતે ગયા હતા, અને નવા નીરના વધામણાં કરી હરખ વ્યકત કર્યો હતો. તે વખતની તસ્વીરએ નોંધનીય બનશે કે, આજી-૧ ડેમ ૧૭મી વખત ઓવરફ્લો થયો છે.