રવિવારે સોરઠીયા રાજપૂત સમાજના ૬૦૦ તેજસ્વી તારલાઓને ફૂલડે વધાવાશે
વ્યસનમુકિત, ટ્રાફીક નિયમોનું પાલન વિ. અંગે જાગૃત કરાશે : જ્ઞાતિજનોને આમંત્રણ
રાજકોટ, તા. ૨૦ : શહેરના હેમુગઢવી હોલ ખાતે તા.૨૨ના રવિવારે બપોરે ૧:૩૦ વાગ્યાથી સોરઠીયા રાજપૂત સમાજના તેજસ્વી તારલાઓનું સન્માન કરાશે.
પૂ.દેશળભગત, વીરલ વિભૂતિ પૂ.સંપૂર્ણાનંદજી બાપુ તથા મહામુકત સંત પૂ.દેવુભગત પ્રેરણાથી તેમજ સમાજના વિવિધ દાતાઓના સહકારથી સોરઠીયા રાજપૂત સમાજના રાજકોટમાં રહેતા અને અભ્યાસ કરતા ૬૦૦થી વધારે બાળકોને વિવિધ શૈક્ષણિક ઉપયોગી કીટ પ્રદાચન કરી સન્માન કરવામાં આવશે. વિદ્યાર્થી સન્માનની સાથોસાથ સમાજમાં પ્રેરણાદાયી જીવન જીવી દેશ - સમાજનું નામ રોશન કરનાર સમાજ શ્રેષ્ઠીઓનું પણ સન્માન કરાશે. સાથોસાથ વાલીઓ તથા વિદ્યાર્થીઓમાં વ્યસનમુકિત, ટ્રાફીકના નિયમોનું પાલન, સંસ્કારની વાતો, દેશ પ્રેમની વાતો દ્વારા સદ્દગુણો વિકસાવવાની પ્રેરણા પણ આપવામાં આવશે.
આ વિદ્યાર્થી સન્માન સમારંભમાં સમાજ શ્રેષ્ઠીઓ તથા વિવિધ સમાજ તથા રાજકીય મહાનુભાવોની ઉપસ્થિતિ રહેશે.
સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા પ્રમુખ વિજયભાઈ ચૌહાણના માર્ગદર્શન હેઠળ સર્વશ્રી અશોકભાઈ કેશોર, અશોકભાઈ ખેર, હરનેશભાઈ સોલંકી, જીતુભાઈ જાદવ, અશોકભાઈ રાઠોડ, શ્યામલભાઈ રાઠોડ, રાજેશભાઈ દલ, પ્રવિણભાઈ ચૌહાણ, હકાભાઈ ચૌહાણ, અરવિંદભાઈ ચૌહાણ, ઘનશ્યામભાઈ ડોડીયા, મિલનભાઈ રાઠોડ, અજીતભાઈ રાઠોડ, મુકુંદભાઈ રાઠોડ, દેવાંગભાઈ ડોડીયા, મુકેશભાઈ ચૌહાણ, વિમલભાઈ હાડા, ગીરીશભાઈ ચૌહાણ, લાલજીભાઈ ગોહેલ, કાંતિભાઈ ઝાલા, આકાશભાઈ ચૌહાણ, આદિત્ય રાઠોડ, નિરજભાઈ ભટ્ટી, હસમુખભાઈ મકવાણા, નિરલભાઈ ચૌહાણ, ઋષભ હાડા, ઈલાબેન ખેર, કલ્પનાબેન ચૌહાણ, પદમાબેન ડોડીયા, નયનાબેન રાઠોડ, સ્વાતિબેન રાઠોડ, કમળાબેન ભટ્ટી તથા સોરઠીયા રાજપૂત યુવા શકિતના કાર્યકરો નિલેશભાઈ સોલંકી, પ્રતાપભાઈ ચૌહાણ, દિવ્યેશભાઈ પરમાર, પૃથ્વીરાજ ડોડીયા, અલ્પેશભાઈ ગોહિલ, વિજયભાઈ ચૌહાણ, રાહુલભાઈ મકવાણા તથા વિગેરે કાર્યકરો જહેમત ઉઠાવી રહેલ છે. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)