રાજકોટ
News of Friday, 20th September 2019

ભાજપ બક્ષીપંચ મોરચા દ્વારા 'સ્નેહનિર્ઝર'ના બાળકોને અલ્પાહાર

 રાજકોટ : દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના જન્મદિવસ અંતર્ગત શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કિશોર રાઠોડના માર્ગદર્શન શહેર ભાજપ દ્વારા 'સેવા સપ્તાહ' ચાલી રહ્યું છે. તે અંતર્ગત શહેર ભાજપ બક્ષીપંચ મોરચા દ્વારા શહેરની સ્નેહનિર્ઝર સંસ્થા બાળકોને અલ્પાહાર કરાવાયો હતો આ તકે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, શહેર ભાજપ મહામંત્રી દેવાંગ માંકડ, પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયાની ઉપસ્થિતીમાં અને શહેર ભાજપ અનુ.જાતી મોરચાના પ્રમુખ નિલેશ જલુ, મહામંત્રી સોમભાઇ ભાલીયા, લલીત વાડોલીયાની આગેવાનીમાં આ કાર્યક્રમ યોજવામાં આવેલ. આ તકે અરવિંદભાઇ સોલંકી, રવજીભાઇ મકવાણા, દીનેશભાઇ કણજારીયા, નરેશભાઇ પ્રજાપતી, ભરત કુબાવત, વિપુલ માખેલા, મોહીત પરમાર, ભરત મોરીયા, હીરેન ટંકારીયા, વિજય કોશીયા, દેવાંગ કુકાવા, ધર્મેન્દ્ર રાઠોડ, રમણીકભાઇ દેવળીયા, રમેશ જાદવ, વિજય શિયાળ, અશોકભાઇ શિયાળ, ખેતશીભાઇ માળી, હિતેશ વાડોલીયા સહીતના ઉપસ્થિત રહ્યા હતા.

(3:41 pm IST)