સિધ્ધિ વિનાયક ધામમાં દલિત, દેવીપુજક, સતવારા, બંગાળી અને હિન્દી સમાજના આગેવાનોના હસ્તે મહાઆરતી
રાજકોટ : શહેર ભાજપ પ્રેરીત ગણપતિ મંગલ મહોત્સવ સમિતિ દ્વારા રેસકોર્ષ રમેશ પારેખ ઓપન એરથિયેટરના સિધ્ધિ વિનાયક ધામ ખાતે ગણેશ મહોત્સવમાં દરરોજ વિવિધ સમાજોના હસ્તે મહાઆરતી થઇ રહી છે. જે અંતર્ગત ગઇકાલે દલિત સમાજ, દેવીપૂજક સમાજ, સતવારા સમાજ, હિન્દી સમાજ, બંગાળી સમાજ, જિલ્લા ભાજપ અને વોર્ડ નં.૧૦ ના અગેવાનોના હસ્તે મઆરતી ઉતારવામાં આવી હતી. દરમિયાન આજે માલધારી સમાજ, આહીર સમાજ, રબારી સમાજ, બોરીચા સમાજ, સંતો મહંતો અને વોર્ડ નં.૧૧ અને ૧૨ ના આગેવાનોના હસ્તે મહાઆરતી ઉતારવામાં આવશે. આજે ગુરૃવારે સાંજે ૪.૩૦ વાગ્યે ૪.૩૦ વાગ્યે બહેનો માટયે પાણીપુરી ખાવાની સ્પર્ધા અને સાંજે છપ્પનભોગ દર્શન ખુલ્લા મુકાશે. સાંજે ૭.૩૦ વાગ્યે ઓપન સૌરાષ્ટ્ર લાડુ જમણ સ્પર્ધા રાખેલ છે. ધર્મપ્રેમીજનોએ દર્શનનો લાભ લેવા જાહેર અનુરોધ કરાયો છે. (૧૬.૪)