રાજકોટ
News of Thursday, 20th September 2018

રૈયા ચોકડીએથી બેભાન મળેલા યુવાનનું મોત

વાલીવારસ હોય તો ગાંધીગ્રામ પોલીસનો સંપર્ક કરવો

રાજકોટ તા. ૨૦: રૈયા ચોકડીથી હનુમાન મઢી તરફ જતાં રસ્તેથી અજાણ્યો આશરે ૩૨ થી ૩૫ વર્ષનો યુવાન સાંજે પોણા પાંચેક વાગ્યે બેભાન હાલતમાં મળતાં ૧૦૮ મારફત સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ મોત નિપજ્યું હતું. તસ્વીરમાં દેખાતા યુવાનના કોઇ વાલીવારસ હોય તો ગાંધીગ્રામ પોલીસનો ફોન ૦૨૮૧ ૨૫૮૮૦૮૫ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે. પીએસઆઇ આર. જે. જાડેજા વધુ તપાસ કરે છે. (૧૪.૫)

 

(3:14 pm IST)