ગ્રીનસીટી કલબમાં આજે સાંજે મહાઆરતી-રાસોત્સવ
ગ્રીનસીટી કલબ આયોજીત ગણેશ મહોત્સવમાં આજે રાત્રે ૮-૩૦ કલાકે રાસઉત્સવ રાખવામાં આવેલ છે ગઇ કાલે મહાઆરતીમાં સૌરાષ્ટ્ર કલા કેન્દ્ર, આફ્રીકા કલોની, પારસ સોસાયટી, બાલમુકુન્દ સોસાયટીના આજુબાજુના વિસ્તારના હજારો ભાવીકોએ શ્રધ્ધાભેર લાભ લીધો હતો ગઇકાલે મહાઆરતીમાં નેહલભાઇ શુકલ પરીવાર સાથે અને રાજભા વાઘેલા પરીવાર સાથે લાભ લીધો હતો શુક્રવાર તા. ર૧/૯/૧૮ ના રોજ સવારે આરતી બાદ ગણેશ વિર્સજન રાખવામાં આવેલ છ.ે ગણેશ ઉત્સવને સફળ બનાવવામાં ગ્રીનસીટી કલબમાં શશીભાઇ બાટવીયા, સુનીલભાઇ બાબરીયા, વિજયભાઇ ચૌહાણ તથા દિપકભાઇ સાપરીયા, અજયસિંહ વાઘેલા, ભાર્ગવભાઇ બાબરીયા, જતીન જાદવ, અંકુર શાપરીયા, કાંતીકાકા, પાંચીયાભાઇ દક્ષા પટેલ વગરે જહેમત ઉઠાવી રહ્યા છે. વલ્લભભાઇ દુધાત્રા અને બકુલ જાનીના માંર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમ સફળતાપૂર્વક ઉજવાઇ, રહ્યો છે. આ ઉપરાંત પ સૌરાષ્ટ્રકલા કેન્દ્રના દરેક રહેવાસીઓને ઉત્સાહ પૂર્વક દરેક કાર્યક્રમમાં ભાગ લીધો હતો.(૬.૧૫)