લક્ષ્મીનગરમાં રજપૂત પરિણીતા રક્ષિતા વાઢેરની ગળાફાંસો ખાઇ આત્મહત્યા પટેલ યુવતિએ પાંચ વર્ષ પહેલા લવમેરેજ કર્યા'તાઃ માસુમ પુત્રી મા વિહોણી
રાજકોટ તા. ૨૦: લક્ષ્મીનગર-૩માં ફિલ્ડ માર્શલ વાડી પાછળ ખોડિયારનગર ચોકમાં રહેતી રક્ષિતાબેન ભાર્ગવ વાઢેર (ઉ.૨૭) નામની રજપૂત પરિણીતાએ ગળાફાંસો ખાઇ આત્મહત્યા કરી લેતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ છે.
સાંજે આ બનાવની જાણ થતાં ૧૦૮ પહોંચી હતી. તેના ઇએમટી ચિરાગભાઇ પરમારની તપાસમાં તેણી મૃત્યુ પામી હોવાનું જણાતાંપોલીસ કન્ટ્રોલ રૂમમાં જાણ કરી હતી. ઇન્ચાર્જ જીવણભાઇએ વાકેફ કરતાં માલવીયાનગરના પીએસઆઇ જે. એ. ખાચર અને પ્રશાંતસિંહ ગોહિલે ઘટના સ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે ખસેડ્યો હતો.
પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યા મુજબ આપઘાત કરનાર રક્ષિતાબેનના લગ્ન પાંચ વર્ષ પહેલા થયા હતાં. સંતાનમાં અઢી વર્ષની દિકરી છે. તેણી મુળ પટેલ જ્ઞાતિની હતી અને ભાર્ગવ વાઢેર સાથે લવમેરેજ કર્યા હતાં. પતિ ભાર્ગવ ટ્રાન્સપોર્ટનો વ્યવસાય ધરાવે છે. બનાવનું કારણ બહાર આવ્યું ન હોઇ પોલીસે તપાસ યથાવત રાખી છે.
રક્ષિતાબેનના માતા અને ભાઇ પણ તેની સાથે જ રહેતાં હોવાનું પોલીસ સુત્રોએ જણાવ્યું હતું. (૧૪.૬)