રાજકોટ
News of Tuesday, 20th August 2019

સોની બજારમાં ચોકીદાર અને તેના પત્નિ પર ધૂળધોયાનો કડાથી હુમલો

ચેમ્બરમાં આવવાની ના પાડતાં સુરેશના છોકરા તૂટી પડ્યા

રાજકોટ તા. ૨૦: સોની બજારમાં ખોજાખાના પાસે સ્વર્ણદિપ ચેમ્બરમાં રહેતાં અને ચોકીદારી કરતાં મુળ મદ્રાસના દંપતિને ધુળધોયાઓએ માર મારતાં સારવાર લેવી પડી છે.

સ્વર્ણદિપ ચેમ્બરમાં રહી ચોકીદારીનું કામ કરતાં સિનેસ્વામી મદ્રાસી (ઉ.૪૫) અને તેના પત્નિ કરપાઇબેન (ઉ.૪૩) સવારે ચેમ્બરના ગેઇટ પાસે હતાં ત્યારે સુરેશ ધૂળધોયાના છોકરા ધૂળ વીણવા આવતાં તેને અંદર આવતાં અટકાવતાં ઝઘડો કરી કરપાઇબેનના માથામાં કડાના ઘા ફટકારી દેતાં તે લોહીલુહાણ થઇ ગયા હતાં. પતિ સિનેસ્વામી બચાવવા આવતાં તેને પણ ધોલધપાટ કરવામાં આવી હતી. કરપાઇબેન સારવાર માટે દાખલ થતાં હેડકોન્સ. મહેન્દ્રભાઇ પરમાર અને રાજદિપસિંહ ચોૈહાણે એ-ડિવીઝનમાં જાણ કરી હતી.

(4:19 pm IST)